#Cricket : જય શાહે પ્રોમિસ નિભાવી, રોહિતની કેપ્ટનશીપ નીચે T20 વિશ્વકપ માટેની ટીમ ઈન્ડિયા જાહેર


તમામ એટકળો અને સસ્પેન્સનો અંત આણતા ટી20 વર્લ્ડ કપ માટેની ટીમ ઇન્ડીયાની જાહેરાત


India : આગામી T20 World Cup ને લઈને ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી. BCCIનાં આત્યારે  સર્વે સર્વા કહી શકાય તેવા જય અમિતભાઇ શાહએ પોતાનું પ્રોમિસ જાળવ્યું હોય તેવી રીતે રોહિત શર્માની કેપ્ટનશીવમાં ટીમ ઈન્ડિયા રમતી જોવા મળશે. રોહિતને હટાવી IPL2024 માં Mumbai Indians ટીમનો કેપ્ટન જેને બનાવવામાં આવ્યો અને બહોળી ફિટકાર અને ટીકાને પાત્ર બન્યો તે હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટનશીપ કરતા જોવા મળશે. IPL 2024નાં બેસ્ટ પર્ફોર્મર 3 વિકેટકીપરમાંથી ભારતીય ટીમમાં બે વિકેટકીપર તરીકે ઋષભ પંત અને સંજૂ સેમસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે કે.એસ.રાહુલને ટીમની બહાર કરવામાં આવ્યો છે. ટી20 વિશ્વકપની શરૂઆત જૂન મહિનામાં વેસ્ટઈન્ડિઝ-અમેરિકાના યજમાન પદે થશે. ફાઈનલ 29મી જૂનના રોજ રમાશે. ભારત ઉપરાંત આજે દક્ષિણ આફ્રિકા તથા ઈંગ્લેન્ડની ટીમ પણ જાહેરાત કરવામાં આવી હતી.

ટી20 વિશ્વકપની પસંદગીને લઈને અમદાવાદની આઈટીસી નર્મદા હોટલમાં સિલેક્ટરોની બેઠક મળી હતી. જેમાં ચીફ સિલેક્ટર અજીત અગરકર અને બીસીસીઆઈ સચિવ જય શાહ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠક બાદ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. 

ભારતીય ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), શિબમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપસિંહ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાઝનો સમાવેશ કરવામાં આવ્યો છે. બેકઅપમાં શુભમન ગીલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, આવેશ ખાનને રાખવામાં આવ્યાં છે.